(પ્રસ્તુત વિચાર મારા છે. આ જરૂરી નથી કે દરેક વ્યક્તિ આ વિચારો સાથે સંમત થાય. દરેકના પોત પોતાના મત અને વિચાર હોય છે. મારો આ પણ દાવો નથી કે આ જ સત્ય છે.)
- વસ્ત્રોનો ત્યાગ કરવો એ વસ્ત્ર પહેરવા છોડી દેવા એ સાધના નથી.
- ભોજનનો ત્યાગ કરવો પણ સાધના નથી. કોક ભૂખ્યા જીવ માટે ભોજનની વ્યવસ્થા કરવી એ સાધના છે.
- એક જ નામ કે શ્લોકનું લગાતાર રટણ કરવું એ સાધના નથી. વિચારો ને યોગ્ય શબ્દો દ્વારા યોગ્ય ઉચ્ચારણ દ્વારા વ્યવસ્થિત રીતે વ્યક્ત કરતા સીખતા રહેવું એ કલા સાધના છે.
- લક્ષ્યને પ્રાપ્ત કરતા સતત પ્રયાસ કરતા રહેવું સાધના છે.
- કોઈપણ કાર્યને સુંદર રીતે કેવી રીતે કરી શકાય. એના માટે પ્રયાસરત અને ચિંતન કરતા રહેવું, સાધના છે.
- જીવનથી નિરાશ હતાશ વ્યક્તિને જીવન પ્રત્યે અને અન્ય કોઈપણ વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રેરણા આપવી એ સાધના છે.
- પરમાત્માની મૂર્તિની સામે બેસી આરતી કે ધૂપ દીપ કરવા એ સાધના નથી, વિધિઓ છે. સાધના એ છે જ્યારે આ વિચાર તમારા મનમાં આવે કે 'પરમાત્માની મૂર્તિની સામે કે એકલા બેઠા બેઠા પરમાત્માના વિચારોમાં ખોવાઈ જાઓ. પરમાત્મા એ તમને માનવ જીવન આપી. તમારા પર કેટદી કૃપા કરી છે અમીવર્ષા કરી છે, એવું વિચારી તમારી આંખોથી આંસુ અનરાધાર વહેવા માંડે, એ સાધના છે.
અભણ અમદાવાદી
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें